|| નવનાદ ||
યમ-નિયમ સંયમ કરી,દૃઢ ઇન્દ્રિયો સમેત;
આસન,ધ્યાન,સમાધિ થી થાય કૃપા સહેજ, (૧)
જીત્તાસન મજબૂત કરી, ફરી નિયાંત્રિત શ્વાસ;
એકાગ્રે ચિત્ત ને કરી, ધરવું નિશ્ચિત ધ્યાન. (૨)
વંદી શ્રીમન્નાથ ને, સ્મરી પદ્મ-પરાગ;
સઘળું એ અર્પણ કરી,ચરણસેવા ને કાજ . (૩)
કૃપા ફળે તું સાંભળે, અદભુત દસે નાદ;
ગુરુસેવા ના ફળ થકી, સ્પષ્ટ થાયે ત્યાંજ .(૪)
ચિણી -ચિંચણિ ઘંટા સમેત શંખ-વીણા ને તાલ ;
બંસી-મૃગંદ-ભેરી અને,ઉત્તમ એ મેઘનાદ .(૫)
પ્રથમ નાદ થી વર્તશે, ચીણી-ચિણી શબ્દ સહેજ;
અંગભંગ અસર પ્રવર્તશે, બીજા નાદે વિશેષ . (૬)
ત્રીજે ચિત્તખીન્ન અને, ચોથે કંપન ભાલ;
ઝળે તાળવું પાંચમે,છઠ્ઠું અમૃતપાન. (૭)
જ્ઞાન ગુહ્યપદાર્થનું, થાય સાતમે જાણ;
પરવાચા પ્રાપ્તિ ને,લક્ષણ આઠ નું માન . (૮).
નવમે દિવ્યદ્રષ્ટિ મળે, શક્તિ અંતર્ધ્યાન;
દસમે સ્વયં પરબ્રહ્મ સ્વરૂપ, નિજ સ્વરૂપ નું જ્ઞાન .(૯)
દસે નાદ ના જ્ઞાનથી, ક્ષય પામે સંકલ્પ ;
વિકલ્પ રહેજે ના રહે, આત્મજ્યોતિ નો સંગ . (૧૦)
પાપ-પુણ્ય ના કર્મ સહુ,નિચ્ચય પામે નાશ;
શુદ્ધ-નિરંજન બ્રહ્મરૂપ, વિચરે તત્વ અમાપ. (૧૧)
ગુરુમુખે થી સાંભળી, કહ્યું પ્રીતિ સુજાણ;
થાય બ્રહ્મ તાદાત્મ્ય ને, શબ્દો અફર જાણ .(૧૨)
કપિલ શેલત.
૨૩/૨/૨૦,રવિવાર.