શ્રીગુરુ પ્રાતઃ સ્મરણ
પંચમી સહુ મુદ્રા સહિત ; ધ્યાન પદ્મ પરાગ,
પુજી 'લં' ઇત્યાદિ થી ; સ્મરી શ્રી મન્નાથ, (૧)
બેસી બ્રહ્મવેલા થકી ;ચિંતી ગુરુત્રય ધ્યાન;
સ્મરી દિવ્ય,સિદ્ધોધ; માનવોધ પ્રધાન .(૨)
માનસ પૂજન ગુરુ તણું ; કરવું જાણી માન,
એકાગ્ર ચિત્તે ધરી; ગુરૂપાદુકા ધ્યાન (૩)
આપ્લાવીત રસ-સ્નિઘ થી; વર્ષા અમૃત જેમ;
ગુરુકૃપા એ પામશે; પરબ્રહ્મ પણ એમ.(૪)
થતાં દર્શન પરતત્વ નું ; બાકી શું જગ માંહ્ય,
સ્વયં શંભુ તત્વે ચરે ;ઘટ-આકાશે ત્યાંય .(૫)
તેથી નિત્યાભ્યાસ થકી ; કરવું સદગુરુ ધ્યાન,
કૃપા પામતા દેવ ની; સઘળે વિદ્યમાન . (૬)
સુણી અંતર ના ઓરડે ; રચી પંક્તિ પણ એમ,
'ક' નાથ ના નાથે કરી,તત્વ સ્ફૂરણા જેમ.(૭)
રચના : કપિલ શેલત ,અક્ષય તૃતીયા,રવિવાર, ૨૬/૪/૨૦૨૦
No comments:
Post a Comment